અછબડાના રોગ સામેની રસી ઘણા સમયથી ભારતમાં અને અન્ય દેશોમાં ઉપલબ્ધ છે અને તેની અસરકારકતા પણ ઘણી સારી છે. આ રસી હાલ ભારતીય રસીકરણમાં પ્રારંભિક રસીકરણ માં સામેલ નથી પરંતુ ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા આ રસી માતા-પિતાને યોગ્ય સમજ બાદ જો જરુર જણાય અને આર્થિક રીતે પરવડે તો જે-તે બાળકને આપવાનુ કહેવાયુ છે.
Add new comment






