ન્યુમોકોકલ બેક્ટેરીયા દ્વારા બાળકોમાં સામાન્ય ઉધરસ થી લઈને મગજમાં રસી જેવા અતિ ગંભીર સંક્રમણ પણ થતા હોય છે. આ બેક્ટેરીયાની સામે અમેરીકા અને અન્ય 19 દેશોમાં ન્યુમોકોકલ કોંજયુગેટ રસીને બાળ કોમાં વપરાશની ઈ.સ. 2000થી પરવાનગી મળેલ છે. આ દેશોમાં આ રસીકરણના ઘણા ઉત્સાહવર્ધક પરિણામો મળેલા છે. હાલ ભારતમાં આ રસી અમેરીકાથી આયાત કરવામાં આવે છે.
ન્યુમોકોકલ બેક્ટેરીયાથી થતા રોગ વિશે ન્યુમોકોકલ બેક્ટેરીયા નુ વૈજ્ઞાનિક નામ સ્ટ્રેપ્ટોકોકલ ન્યુમોનિ છે. આ બેક્ટેરીયા મનુષ્યોના નજીકના સંપર્કથી હવા દ્વારા પ્રમુખ રીતે ફેલાય છે. આ બેક્ટેરીયા બાળકોમાં સામાન્ય રીતે ઉધરસ – ગળાનો દુઃખાવો-કાનમાં રસી –ન્યુમોનિયા જેવા રોગ પેદા કરે છે. પરંતુ ઘણા બાળકોમાં ખાસ કરીને 2 વર્ષથી નાની વયના અને જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા બાળકોમાં આ બેકટેરીયા લોહીમાં ગંભીર ચેપ અને મગજમાં રસી જેવી ખૂબ જોખમી અસરો પણ પેદા કરે છે. આ ગંભીર બિમારીને લીધે ઘણી વાર બાળકને હોસ્પીટલાઈઝેશન કરવુ પડે અને લાંબાગાળે માનસિક બિમારી –ખેંચ કે કાનની બહેરાશ જેવી ખોટ રહી જવા પણ પામે છે. આ રોગ સામે અસરકારક એંટીબાયોટીક દવાઓ છે પરંતુ એક વખત બિમારી થયા બાદ તેને સારવાર આપવી અને ગંભીર અસરો તથા ખોટ રહી જતી અટકાવવી એ એક ખૂબ મોટી લડત આપવા સમાન છે જેમાં દરેક કેસમાં સંપૂર્ણ પરિણામ ન પણ મળે.
રસીનો પ્રકાર | અજીવ રસી | ||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
આપવાની ઉંમર અને પત્રક |
|
||||||||||||||||||||
ક્યાં અપાય છે | પગમાં સાથળના ઉપરના બાહ્ય ભાગ પર સ્નાયુમાં | ||||||||||||||||||||
કેવી રીતે અપાય છે | 0.5 ml - સ્નાયુમાં (intramuscular) | ||||||||||||||||||||
* પ્રથમ ડોઝ આપ્યા બાદ બીજો દોઝ એક માસ પછી અને ત્રીજો ડોઝ બાળકની ઉંમર એક વર્ષ થયા બાદ (બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે બે માઅસનુ અંતર રાખવુ ) # બે ડોઝ 2 માસના અંતરે |
યાદ રાખો
- ન્યુમોકોક્કલ બેક્ટેરીયાની કુલ 91 પ્રજાતિમાંથી મનુષ્યમાં રોગ ફેલાવવા જવાબદાર એવી મુખ્ય 7(સાત)પ્રજાતિ સામે આ રસી(P.C.V-7) રોગપ્રતિકારક શક્તિ પેદા કરવામાં મદદરુપ છે. જ્યારે ભારતમાં ન્યુમોકોકલ રોગ માટે જવાબદાર પ્રજાતિમાંથી માત્ર 55% જ આ રસીકરણ દ્વારા આવરી લેવાઈ છે. જેથી ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા આ રસીને બે વર્ષથી નીચેના તંદુરસ્ત બાળકોમાં માતાપિતા સાથે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ જ આપવાની ભલામણ કરાઈ છે.
- ન્યુમોકોકલ રોગ ની ગંભીર અસરો સામાન્યરીતે તંદુરસ્ત બાળકોમાં બે વર્ષની ઉંમર પછી ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આથી એથી ઉપરંતી ઉંમરમાં આ રસીની તંદુરસ્ત બાળકોમાં ઉપયોગીતા ઘણી ઓછી છે. પરંતુ રસી દ્વારા 2થી 5 વર્ષની ઉંમરમાં થતા ન્યુમોનિયા કે કાન રસી જેવા પ્રમાણમાં ઓછા ગંભીર પ્રકારના કેસમાં કદાચ ઘટાડો થઈ શકે. આથી ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા હાલ તંદુરસ્ત બાળકોમાં આ રસી મુકાવાવની મહત્તમ આયુ પાંચ વર્ષની સુધી અને માત્ર માતા પિતા ની વિનંતી થી મૂકવા ભલામણ કરાઈ છે.
ખાસ પ્રકારના બાળકો કે જેમને ન્યુમોકોકલ રોગ થવાની વધુ સંભાવના છે.
- જન્મજાત ઓછી રોગ પ્રતિકારક શક્તિ ના રોગ ગ્રસ્ત શિશુ
- એચ. આઈ.વી. ગ્રસ્ત
- કેંસર માટે કે અન્ય રોગ માટે ઈમ્યુનોસપ્રેસીવ થેરાપી પર હોય તેવા બાળકો
- અવયવ પ્ર્ત્યારોપણ કરાવેલા બાળકો
- સિકલ સેલ રોગગ્રસ્ત- બરોળની ખામી હોય તેવા બાળકો
- હૃદયની ખામી થી પીડાતા બાળકો
- કિડનીની ખામી વાળા બાળકો
- ડાયાબીટીસ વાળા બાળકો
- કોક્લીઅર ઈમ્પ્લાંટ વાળા બાળકો
આવા ખાસ બાળકોને જો આર્થિક રીતે પરવડે તો પ્રારંભિક રસીકરણ માં જ ન્યુમોકોકલ કોંજ્યુગેટ રસી (PCV 7 ) આપવી હીતાવહ છે. આવા બાળકોને પાંચ વર્ષથી મોટી વયે પણ આ રસીનો એક ડોઝ આપી શકાય છે. આવા ખાસ પ્રકારના કિસ્સામાં આ સિવાય અન્ય રસી જે આ રોગ માં વાપરી શકાય છે તે PPV 23 છે.જેની કિંમત હાલ PCV 7 થી ઓછી છે. આ રસી વિશે આપના બાલરોગ નિષ્ણાતની સાથે ચર્ચા કરી શકાય.ધ્યાન રાખવા જેવી બાબતો
- આ રસી ની સામાન્ય આડ અસરો જેવીકે ઈંજેક્શનની જગ્યાએ દુઃખાવો- તાવ વિ. અન્ય રસી જેવીજ છે અને આ માટે આપ તબીબી સલાહ અનુસાર પેરાસીટામોલ યોગ્ય ડોઝ માં વાપરી શકો છો.
- ઘણા પશ્ચિમી દેશોના રસીકરણ કાર્યક્રમમાં આ રસી સામેલ થયેલ છે. આથી જો જ્ન્મ પછી શિશુને વિદેશ જવાનુ હોય તો આ રસીકરણ કરાવવાથી લાભ થઈ શકે છે અને ફરીથી એ ડોઝ લેવો નથી પડતો પરંતુ આ માટે બાળરોગ નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જરુરી છે.
- હાલ આ રસીની ભારતમાં કિંમત અન્ય રસીઓની સરખામણી એ વધુ છે આથી રસીકરણ પહેલા કિંમત અંગે ડોક્ટર સાથે ચર્ચા અવશ્ય કરી લેવી.