ગુજરાતી ભાષામાં કહેવત છે કે ‘ આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાય! ’ – એટલે કે જ્યારે મુસીબત આવી પડે ત્યાર પછીના પ્રયત્નો નિરર્થક હોય છે પણ જો આગમચેતીથી આવનારી મુસીબત માટે તૈયારી કરીને રાખવામાં આવે તો તેને અટકાવી શકાય છે. બિમારી કે રોગ નુ પણ એવુજ છે. કેટલાક રોગ થયા પછી તેની સારવાર ખૂબ અઘરી અને ઘણી વાર...
બેક્ટેરીયા કે વાઈરસ ને સૌ પ્રથમ લેબોરેટરીમાં ખાસ પ્રક્રિયા દ્વારા અધમૂઆ કરી દેવાય છે કે જે પછી રોગ પેદા કરવાની શક્તિ ગુમાવી બેસે છે. આવા ખાસ પ્રકારના બેકટેરીયા કે વાઈરસ રસીકરણ દ્વારા ઈંજેક્શન દ્વારા એક નિયત પ્રમાણમાં માનવ શરીરમાં દાખલ કરાય ત્યારે શરીર ની રક્ષા પ્રણાલિ તેની સામે લડીને એ રોગ માટે જરુર...
એક માન્યતા એવી છે કે રસીકરણથી બાળકને નુક્શાન થાય છે જયારે હકીકત તો એવી છે કે રસીકરણ માટે વપરાતી રસીઓ ને બાળકોમાં વપરવાની પરવાનગી મેળવતા પહેલા અનેક પરિક્ષણમાંથી પસાર થવુ પડે છે. અનેક સુરક્ષા માપ દંડો માંથી પસાર થયેલી આ રસીઓ સમાન્યતઃ બાળકો માટે સુરક્ષિત ગણી શકાય છે. પરંતુ રસી ...
પહેલાના સમયમાં વિજ્ઞાનની પ્રગતિ ખૂબ મર્યાદિત હતી અનેક ચેપી રોગની સામે ની રસીઓ ઉપલબ્ધ ન હતી. આથી અનેક બાળકોને આવા ચેપી રોગનો ભોગ બનવુ પડતુ હતુ. દા.ત. શીતળાનો રોગ ખૂબ જ જીવલેણ હતો અને તેની સામેનુ રસીકરણ શોધાયુ તે પહેલા અનેક લોકો તેનો ભોગ બન્યા. આજે વર્ષો પછી શીતળાનો રોગ નાબૂદ ...
ભારત ભરમાં પલ્સ પોલિયો અભિયાન દ્વારા પોલિયો નાબૂદીના ખૂબ પ્રચારને લીધે હવે પોલિયો ડ્રોપ્સ વિશે ભાગ્યે જ કોઈ અજાણ હશે. બાળક્ને જન્મ પછી શરુઆતી દિવસોમાં જ બી.સી.જી. સાથે જ પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે. પોલિયો વિશે પોલિયો એ ખાસ પ્રકાર ના વાઈરસ થી થતો રોગ છે. આ રોગના વાઈરસ ખ...
ડીપ્થેરીયા (ગલઘોંટુ) નો રોગ કોરીનોબેક્ટેરીયમ ડીપ્થેરી નામક બેક્ટરીયા થી થાય છે. આ રોગના બેક્ટેરીયા મુખ્યત્વે હવા દ્વારા ચેપગ્રસ્ત મનુષ્યના સંસર્ગમાં આવતા તંદુરસ્ત મનુષ્ય માં ફેલાય છે. આ રોગ ના પ્રારંભિક લક્ષણોમાં દરદીને તાવ આવેછે – શરદી – સળેખમ – ગળામાં સખત દુઃખાવો થાય છે. ગ...